Skip to main content

Posts

Showing posts from January, 2023

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...

શુદ્રો તેમજ અસ્પૃશ્યોની શૂરવીરતાના ઈતિહાસનો સાક્ષી એટલે ભીમા કોરેગાંવનો વિજય ક્રાંતિસ્તંભ

        સંભાજીને ઈ.સ.૧૬૮૯માં એક એક અંગ કાપીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો એવું સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તકમાં લખ્યું છે. જ્યારે સંભાજીની હત્યા કરી શરીરના ટૂકડા ફેંકતાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ ટૂકડાઓને હાથ લગાવશે તેની પણ આવી હાલત થશે..!! એટલે ઘણો સમય સુધી કોઈ લાશ લેવા આગળ આવ્યું નહિ, ત્યારે એક યુવાને હિંમત કરી. એણે મહારાજ સંભાજીના શરીરના રઝળતા ટૂકડાઓ વીણી ભેગા કર્યા અને સિલાઈ કરીને મુખાગ્નિ આપ્યો હતો. આ યુવાન મહાર જ્ઞાતિનો હતો. ( સંભાજીની સમાધિ આજે પણ એ જ મહારવાડી વિસ્તારમાં આવેલી છે) જાહેરાત પ્રમાણે યુવાનની પણ સંભાજીના જેવી જ હાલત થઈ અને એની આખી સમાજ ઉપર પેશ્વાઓએ (ચિતપાવન બ્રાહ્મણો) કેટલાક અમાનવીય નિયમો થોપી દીધા. પેશ્વાઓ મૂળ રીતે છત્રપતિ (મરાઠા સામ્રાજ્યના રાજા)ના ગૌણ તરીકે સેવા આપતા હતા. છત્રપતિ સંભાજીની હત્યા પછી મરાઠા સામ્રાજ્યની કમાન તેમના ભાઈ રાજારામ પાસે રહી. રાજારામ ઈ.સ.૧૭૦૦માં મૃત્યુ પામ્યા એટલે તેમની પત્ની તારાબાઈએ તેમના પુત્ર શિવાજી બીજો સાથે મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી. ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુરશાહ પહેલાએ છત્...