Skip to main content

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

       આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.
          પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરું થયા પછી હું સ્ટાફરૂમમાં બેઠો હતો ત્યારે અંબાજી આસપાસના કોઈ વાલી પોતાની દિકરીને પ્રવેશ પરીક્ષા અપાવવા આવેલા. એમણે પરીક્ષા માટે ફૉર્મ ભરેલ નહોતું. તેઓ સ્ટાફને વિનંતી કરતાં બોલ્યા કે સાહેબ, બહુ દૂરથી આવીએ છીએ. પરીક્ષા આપવા બેસવા દો એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. સ્ટાફ મિત્રોએ કહ્યું કે પ્રથમ પેપર લેવાઈ ચુક્યું છે એટલે માફ કરશો વડીલ, હવે અશક્ય છે. અને હા, આપ દૂરથી આવ્યા છો તો હવે જમ્યા વગર જતા નહિ..!! લ્યો આ અમારા ભોજનપાસ. (એક ભોજનપાસની કિંમત રૂ.૨૦૦ હતી, પણ ફ્રીમાં આપ્યા) સેવક અને સિકયુરિટી સિવાય મેં અહીં સ્ટાફનો પણ નમ્રતા અને માનવતાનો ગુણ જોયો..!! કોઈ સંસ્થા વાલીઓ પ્રત્યે આટલો આદરભાવ રાખે એવું મેં પહેલીવાર જોયું. આ સંસ્થા એટલે બનાસનું ઘરેણું એવી વિદ્યામંદિર.
         બનાસકાંઠાની અતિ સુંદર ભૂમિ ઉપર પોતાની આગવી તેજસ્વીતાથી ઝળહળતી અત્તર અને હિરાની નવાબી નગરીના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ પાલનપુરમાં આ વિદ્યામંદિર શાળા આવેલી છે. તેનું પ્રાચીન નામ  પ્રહલાદનપુર છે. આબુના પરમાર વંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે તેની સ્થાપના ઈ.સ.૧૧૮૪માં કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો શાસક હતો. તેના નામ પરથી આ શહેર "પાલનપુર" તરીકે ઓળખાયું. કહેવાય છે કે અહીં પહેલાં નાગોની વસાહત હતી. જે નાગો હિમાલય તરફથી આવીને અહીં વસ્યા હતા. આ નાગ લોકો ઉપર આર્યોએ હુમલો કર્યો અને નાગોના આધિપત્યની નીચે જે જે પ્રદેશ હતા એ આર્યોએ છિનવી લીધા. પરિણામે એ નાગોએ ધીરે ધીરે દક્ષિણ તરફ ભાગ્યા અને ત્યાં પોતાનાં રાજ્યો સ્થાપ્યાં હતાં.
           પાલનપુર ઘરાનાના સ્થાપક મલિક ખુર્રમખાન બિહાર છોડીને માંડોરના વિશળદેવની સેવામાં ૧૪મી સદીના પાછલા ભાગમાં આવ્યા હતા. તેઓ જાલોર અને સોનગઢના સુબા તરીકે નિમાયા પછી તેમણે વિશળદેવની હત્યા બાદ સર્જાયેલી અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને આ પ્રદેશને પોતાના હક્ક નીચે લઇ લીધો; તેમના કુટુંબની એક બહેન મુગલ શાસક અકબરને પરણી અને તેઓએ પાલનપુર અને આજુબાજુના પ્રદેશો દહેજમાં મેળવ્યા હોવાનું પણ કહેવાય છે. ક્યાંક એવું પણ વાંચવા મળે છે કે અકબરની દત્તક પુત્રી સાથે મલિક ગઝની ખાને લગ્ન કર્યા હતા અને પાલનપુર તેમજ તેની આજુબાજુનો પ્રદેશ દહેજમાં મેળવ્યો હતો. પાલનપુરનો ઇતિહાસ તો ઘણો ગૌરવશાળી છે અને નવાબી શાસન પ્રભાવશાળી રહ્યું હતું અને તેમના દિવાન તરીકે જૈન શ્રેષ્ઠીઓ સેવા આપતા હતા. તત્કાલિન સમયમાં કોમી એકતા અકબંધ જ હતી. આ દિર્ઘદ્રષ્ટાઓએ જો વર્તમાન શાસકોની જેમ એક જ ધર્મને મહત્વ આપ્યું હોત તો આજે વટવૃક્ષ સમાન ઉભેલી વિદ્યામંદિર ન હોત..!!!
        હિરા નગરીમાં આજે ભલે હિરા ઉદ્યોગ પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના પ્રણવ મિસ્ત્રી જેવા હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે. 

Comments

Read more

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.

ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!! સામાજિક અનામત કઈ રીતે મળી હતી..?? તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત. અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત. બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આ...