ભારતની આઝાદી એ કોઈ એક નેતા, એક પ્રદેશ કે એક સમાજની જીત નહોતી પણ તે સમગ્ર ભારતની સામૂહિક ચેતનાનો વિજય હતો. આઝાદીની આ લડત વિદેશી શાસન સામેનો વિરોધ કરતાં તો તે માનવીના સ્વાભિમાન, અધિકાર, ન્યાય અને આત્મસન્માનનો મહાસંગ્રામ હતો. જ્યારે દેશ પરાધીન હતો, ત્યારે ભાષા, જાતિ, પ્રાંત, ધર્મ અને વિચારધારાના અનેક ભેદો હોવા છતાં ભારતીયોએ એક જ ધ્યેયને સર્વોપરી માન્યો "સ્વતંત્ર ભારત". અંગ્રેજ શાસન રાજકીય સત્તા આગળ જઈને આર્થિક શોષણ, રાજકીય દમન અને માનસિક ગુલામીનું પ્રતીક બની ગયું હતું. ભારતની સંપત્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ ગોરા સામ્રાજ્યના હિત માટે થતો હતો. ખેડૂતો પર ભારે કર, સ્થાનિક ઉદ્યોગોના પતન, અભિવ્યક્તિ પર નિયંત્રણ અને વિરોધના દમન જેવી અનેક નીતિઓએ સામાન્ય જનજીવનને અસર કરતી હતી. આ પરિસ્થિતિ સામે ભારતીયોએ સત્યાગ્રહ, અસહકાર, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ જેવા અનેક માર્ગોથી સંઘર્ષ કર્યો. અસંખ્ય લોકોએ જેલવાસ ભોગવ્યો, મિલકતો ગુમાવી અને ઘણા લોકોએ પોતાના પ્રાણ પણ દેશના ચરણોમાં અર્પણ કર્યા. આ સંઘર્ષની...
જીવનમાં કેટલીક મુસાફરીઓ માત્ર એક શહેર સુધી પહોંચાડતી નથી, પરંતુ વિચાર, સંવેદના અને ઇતિહાસની ઊંડાઈ સુધી લઈ જાય છે. એવી જ એક યાદગાર, અગવડભરી છતાં પ્રેરણાદાયી મુસાફરી નાશિક તરફ કરવાની તક મળી. એકતરફી ૧૪ કલાકની લાંબી, થાકથી ભરપૂર અને અગવડભરી બસ મુસાફરી બાદ આખરે વાપી પહોંચ્યો. શરીર થાકથી કંટાળેલું, આંખોમાં ઊંઘનો ભાર અને મનમાં ગંતવ્ય સુધી પહોંચ્યાનો સંતોષ — આ બધી લાગણીઓ એકસાથે મનમાં ઉછળી રહી હતી. ત્યાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ ઉભી હતી. મુસાફરો બેસવા માટે પડાપડી કરતાં હતાં. મને ખબર નહોતી કે એ બસ નાશિક જાય છે. હું દૂર ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પંદરેક મિનિટ પછી કંડકટરને પૂછ્યું. યે બસ નાશિક જાયેગી ? "नाशिक तर जातंय...... बोर्ड वाचा" એવું કંડકટર મરાઠીમાં બોલ્યા. ખાલી બસની સામે ઊભેલો પણ ખબર નહોતી કે એ બસ નાશિક જવાની છે. વહેલી સવારના અંધારામાં બોર્ડ વંચાતું નહોતું. જેવો બસમાં ચડ્યો કે વિદ્યાર્થીકાળ યાદ આવી ગયો. એ સમયે આવી બસમાં અભ્યાસાર્થે આવ-જા કરેલી. એ બસ માત્ર બસ નહોતી પણ એ તો ગામડાની "...