Skip to main content

Posts

Showing posts from 2024

ભારતમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગની સુધારાવાદી પહેલ

             રવિવારે બપોરે ત્રણ વાગ્યે અમારી ગાડી રાજસ્થાન જવા રવાના થઈ. હરિ કાકા, હિતેષભાઈ, રમેશભાઈ અને સાથે હું. લગભગ ચાર વાગ્યા આસપાસ અમે આબુરોડ પહોંચ્યા ત્યાંથી અમારી સાથે પ્રોફે. ડૉ. હિમાંશુ પંડયા સર, બાબુલાલજી (સમાજસેવક, ચિંતક અને લેખક), નટવરલાલ અને મહેન્દ્રભાઈ (બન્ને શિક્ષક) જોડાયા. આબુથી આગળ જતાં એક હોટલ પર ચા-પાણી કરવા માટે ગાડી રોકી. પ્રોફે. ડૉ. હિમાંશુ સાહેબને ડાયાબીટીસનો પ્રશ્ન હોવાથી તેઓએ ચાની ચૂસકી મારતાં મારતાં કહ્યું કે, એક વખત ડૉક્ટરી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે મને ડાયાબીટીસ છે તો મને ભાવતી ગળી ચીજવસ્તુઓ ખાવા પર મારી સદંતર પાબંદી લાગી ગઈ. મને ડાયાબીટીસ હોઈ ન શકે તેમ છતાંય થોડો સમય મેં કાળજી રાખી પછી ડાયાબીટીસ માટે ત્રણ મહિનાનો એક ટેસ્ટ આવે છે એ કરાવ્યો તો એમાં મારું ડાયાબીટીસ નથી એવું નિદાન આવ્યું એટલે ડૉક્ટર કહ્યું કે હવેથી તમે ઘરે જઈને મીઠાઈ કે ગળી ચીજવસ્તુઓ ખાઈ શકો છો. ત્યારે હું ઘરના રસ્તે જવાને બદલે મીઠાઈની દુકાને જઈ મીઠાઈ આરોગી હતી. આ કિસ્સો સાંભળી સૌ હસી પડ્યા. ઘણી વખત આપણને બંધન નડી જતાં હોય છે અને એ પણ માનસિક. પ્રોફેસર સાહેબ...

નારી જાતિનું ગૌરવ જ નહીં, એક પ્રાતઃસ્મરણીય ઐતિહાસિક ત્યાગમૂર્તિ : રમાબાઈ

  જન્મ : ૭મી ફેબ્રુઆરી, ૧૮૯૮        અવસાન : ૨૭મી મે, ૧૯૩૫                    વર્ષ ૧૯૨૩ની વાત છે જ્યારે ડૉ. આંબેડકર લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને બેરિસ્ટર બન્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ભાઈ બલરામે પરિવારના તમામ સભ્યો માટે નવાં કપડાં ખરીદ્યા હતાં અને રમાબાઈને સાડી ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા. પરંતુ રમાબાઈએ પોતાના માટે સાડી ખરીદવાને બદલે બાબાસાહેબ માટે વસ્ત્રો અને જમવાનું ખરીદ્યું. રમાબાઈ તેમના પતિની પ્રગતિમાં પૂરા દિલથી મગ્ન હતાં. માનસિક રીતે તેમનું અસ્તિત્વ પતિના અસ્તિત્વમાં ભળી ગયું હતું. જેવી પરિસ્થિતિ હતી તેનાથી તે ખુશ હતાં. નવી સાડી વગર શું અટકવાનું ? તેમને મન તો પતિનો સંગ અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય રમાબાઈની શોભા હતી. તેથી અલગ પોશાક પહેરવાની કોઈ જરૂર જણાઈ નહીં. કુટુંબ સુખી રહે, પતિની પ્રગતિ થાય એ જ તેમની ઈચ્છા હતી. રમાબાઈ ચંદનના વૃક્ષ જેવાં હતાં જેની સુગંધ દૂર દૂર સુધી વાતાવરણને સુગંધિત કરે છે, પરંતુ વૃક્ષને આ સુગંધ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં રમાબાઈએ વિચાર્યું કે આ જૂની સાડીમાં તેમના પતિની સા...

સ્વાભિમાનથી જીવવા શિક્ષણ મેળવી ગુલામીની સાંકળો તોડો - સાવિત્રીબાઈ ફૂલે

                એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે.              કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશ...