Skip to main content

આધુનિક ઇજનેરી કૌશલ્યના પ્રતિક સમો એફિલ ટાવર

ઍફિલ ટાવર, ફ્રાન્સ 


           આયોજન, રચના અને અસાધારણ કદને કારણે એફિલ ટાવરને જોઈને સૌ કોઈ મુગ્ધ થઈ જાય છે. તેનું વિરાટ કદ ભવ્ય હોવા છતાં નજાકત ભર્યું લાગે છે. ઇ. સ. ૧૮૮૯ ના પ્રસંગે એફિલ ટાવરની રચના કરવામાં આવી.

           એ જમાનાનો હતો ઔદ્યોગિક ક્રાંતિનો, પ્રગતિનો. વૈજ્ઞાનિક સિદ્ધિઓના સ્થાપત્ય કલામાં પણ ઘણા પાયાના ફેરફારો થઈ રહ્યા હતા. મકાનોને વધારે હલકા સુંદર દેખાવવામાં અને અદ્યતન બનાવવામાં કાચ, લોખંડ, પોલાદ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સ્થપતિની ભૂમિકા ઇજનેરોએ લેવા માંડી હતી. ઇજનેર ગુસ્તાવ એફિલે કાગળને બદલે આકાશના ફલક ઉપર જાણે ધાતુની સામગ્રીથી અદભુત રેખાઓ દોરી હતી. આ જ ગુસ્તાવ એફીલે અમેરિકાની સ્વાતંત્ર્ય મૂર્તિનું પણ આયોજન કર્યું હતું. તે સમયે ગુસ્તાવ એફિલ જગતભરમાં લોખંડના માળખાનું આયોજન કરનારા ઇજનેરોમાં અગ્રણી ગણાતા હતા. પ્રાચીન સ્થાપત્યો ભૂતકાળના પ્રતીક છે જ્યારે એફિલ ટાવર માનવીની ભવિષ્યની સિદ્ધિઓની આગાહી કરનાર અગ્રદૂત છે.

         ૩૨૫ મીટર (૧૦૬૬ ફૂટ) ઊંચો એફિલ ટાવર તેના કદના પ્રમાણમાં ઘણો હલકો બનાવવા માટે ૧૫ હજારથી પણ વધારે ધાતુના વિવિધ ભાગોને જોડવામાં આવ્યા છે. તેનું કુલ સાત હજાર ટન જેટલું વજન છે. જે સિમેન્ટના પાયા ઉપરના ચાર સ્તંભો ઉપર ટેકવેલો છે.

           એફિલ ટાવરના ત્રણ માળ છે. દરેક માળ ઉપર રેસ્ટોરન્ટ છે. જ્યાં મુલાકાતીઓ આવે છે અને ચારેતરફ દેખાતું નગરનું અદભૂત દ્રશ્ય જોઈ શકે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે એફિલ ટાવર ની નીચેનો પ્રદેશ લશ્કરી છાવણી માટે વપરાતો પાછળથી તેમાં વિશાળ બગીચો થયો અત્યારે તો અહીં વારંવાર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ અને મેળાઓ યોજાય છે.

          આધુનિક સમયની અજાયબી ભર્યા આ ભવ્ય એફિલ ટાવરની મુલાકાત લેવા દર વર્ષે લગભગ ૨૦ લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી આવે છે. એફિલ ટાવર વિનાના પેરિસની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


નોંધ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી "જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર .. 👇🏻



Comments

Read more

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...