Skip to main content

આધુનિક ઇજનેરી કૌશલ્યના પ્રતિક સમો એફિલ ટાવર

ઍફિલ ટાવર, ફ્રાન્સ 


           આયોજન, રચના અને અસાધારણ કદને કારણે એફિલ ટાવરને જોઈને સૌ કોઈ મુગ્ધ થઈ જાય છે. તેનું વિરાટ કદ ભવ્ય હોવા છતાં નજાકત ભર્યું લાગે છે. ઇ. સ. ૧૮૮૯ ના પ્રસંગે એફિલ ટાવરની રચના કરવામાં આવી.

           એ જમાનાનો હતો ઔદ્યોગિક ક્રાંતિનો, પ્રગતિનો. વૈજ્ઞાનિક સિદ્ધિઓના સ્થાપત્ય કલામાં પણ ઘણા પાયાના ફેરફારો થઈ રહ્યા હતા. મકાનોને વધારે હલકા સુંદર દેખાવવામાં અને અદ્યતન બનાવવામાં કાચ, લોખંડ, પોલાદ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સ્થપતિની ભૂમિકા ઇજનેરોએ લેવા માંડી હતી. ઇજનેર ગુસ્તાવ એફિલે કાગળને બદલે આકાશના ફલક ઉપર જાણે ધાતુની સામગ્રીથી અદભુત રેખાઓ દોરી હતી. આ જ ગુસ્તાવ એફીલે અમેરિકાની સ્વાતંત્ર્ય મૂર્તિનું પણ આયોજન કર્યું હતું. તે સમયે ગુસ્તાવ એફિલ જગતભરમાં લોખંડના માળખાનું આયોજન કરનારા ઇજનેરોમાં અગ્રણી ગણાતા હતા. પ્રાચીન સ્થાપત્યો ભૂતકાળના પ્રતીક છે જ્યારે એફિલ ટાવર માનવીની ભવિષ્યની સિદ્ધિઓની આગાહી કરનાર અગ્રદૂત છે.

         ૩૨૫ મીટર (૧૦૬૬ ફૂટ) ઊંચો એફિલ ટાવર તેના કદના પ્રમાણમાં ઘણો હલકો બનાવવા માટે ૧૫ હજારથી પણ વધારે ધાતુના વિવિધ ભાગોને જોડવામાં આવ્યા છે. તેનું કુલ સાત હજાર ટન જેટલું વજન છે. જે સિમેન્ટના પાયા ઉપરના ચાર સ્તંભો ઉપર ટેકવેલો છે.

           એફિલ ટાવરના ત્રણ માળ છે. દરેક માળ ઉપર રેસ્ટોરન્ટ છે. જ્યાં મુલાકાતીઓ આવે છે અને ચારેતરફ દેખાતું નગરનું અદભૂત દ્રશ્ય જોઈ શકે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે એફિલ ટાવર ની નીચેનો પ્રદેશ લશ્કરી છાવણી માટે વપરાતો પાછળથી તેમાં વિશાળ બગીચો થયો અત્યારે તો અહીં વારંવાર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ અને મેળાઓ યોજાય છે.

          આધુનિક સમયની અજાયબી ભર્યા આ ભવ્ય એફિલ ટાવરની મુલાકાત લેવા દર વર્ષે લગભગ ૨૦ લાખથી વધુ લોકો વિશ્વભરમાંથી આવે છે. એફિલ ટાવર વિનાના પેરિસની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.


નોંધ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી "જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર .. 👇🏻



Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...