Skip to main content

Posts

Showing posts from 2019

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.

ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!! સામાજિક અનામત કઈ રીતે મળી હતી..?? તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત. અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત. બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આ...

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સમસ્ત ભારતીયો માટે સ્વામીજીનો એક વિચાર

वर्तमान जाति भेद भारतवर्ष की उन्नत्ति में बाधक हैं। वह संकीर्ण बनता है, बाधा पहुँचाता हैं और अलग करता है। (जाति, संस्कृति और समाजवाद  पृ.५६, स्वामी विवेकानंद) समाज सुधारकों के मुखपत्र में मैंने पढ़ा कि वे मुझे शूद्र कहते हैं और मुझे ललकारकर पूछते हैं कि शुद्र को संन्यासी होने का क्या अधिकार हैं..??? શું સ્વામી વિવેકાનંદ શુદ્ર હતા....!!! ચાલો થોડા ઇતિહાસનાં પાનાં ફેંદીએ. ૧૯૧૬માં કલકત્તા હાઇકોર્ટમાં કેસ (20 C.W.N .910) ચાલ્યો. વાદી-પ્રતિવાદી અસિત મોહન ઘોષ, નિરોદ મોહન ઘોષ મલિક હતા. પ્રશ્ન હતો કે બંગાળના કાયસ્થો ક્ષત્રિય છે કે  શુદ્ર..? હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે તેઓ શુદ્ર છે. આ કેસની અપીલ પ્રિવી કાઉન્સિલ માં થઈ. (  1926 47 .A.I.40)  કોઈ સ્પષ્ટ નિર્ણય ન આપ્યો. પણ કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે કાયસ્થોના લગ્ન તાંતી ઉતરતી જ્ઞાતિમાં થઈ શકે છે. તે બધા શુદ્રો છે એટલે કાયસ્થોને પણ તેમાં સમાવવા જોઈએ. આ નિર્ણયથી કાયસ્થોને ભારે હાનિ થઈ. તેમનુ ધાર્મિક તેમજ સામાજિક સ્થાન ધણું નીચું ઉતરી ગયું. એ સમયની કાયસ્થો જેવી રૂપાળી,સુઘડ અને શિક્ષિત જ્ઞાતિની આવી દ...