Skip to main content

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સમસ્ત ભારતીયો માટે સ્વામીજીનો એક વિચાર




वर्तमान जाति भेद भारतवर्ष की उन्नत्ति में बाधक हैं। वह संकीर्ण बनता है, बाधा पहुँचाता हैं और अलग करता है।
(जाति, संस्कृति और समाजवाद  पृ.५६, स्वामी विवेकानंद)

समाज सुधारकों के मुखपत्र में मैंने पढ़ा कि वे मुझे शूद्र कहते हैं और मुझे ललकारकर पूछते हैं कि शुद्र को संन्यासी होने का क्या अधिकार हैं..???

શું સ્વામી વિવેકાનંદ શુદ્ર હતા....!!!

ચાલો થોડા ઇતિહાસનાં પાનાં ફેંદીએ.
૧૯૧૬માં કલકત્તા હાઇકોર્ટમાં કેસ (20 C.W.N .910) ચાલ્યો. વાદી-પ્રતિવાદી અસિત મોહન ઘોષ, નિરોદ મોહન ઘોષ મલિક હતા. પ્રશ્ન હતો કે બંગાળના કાયસ્થો ક્ષત્રિય છે કે  શુદ્ર..?
હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે તેઓ શુદ્ર છે.
આ કેસની અપીલ પ્રિવી કાઉન્સિલ માં થઈ. ( 1926 47.A.I.40)  કોઈ સ્પષ્ટ નિર્ણય ન આપ્યો. પણ કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે કાયસ્થોના લગ્ન તાંતી ઉતરતી જ્ઞાતિમાં થઈ શકે છે. તે બધા શુદ્રો છે એટલે કાયસ્થોને પણ તેમાં સમાવવા જોઈએ.
આ નિર્ણયથી કાયસ્થોને ભારે હાનિ થઈ. તેમનુ ધાર્મિક તેમજ સામાજિક સ્થાન ધણું નીચું ઉતરી ગયું. એ સમયની કાયસ્થો જેવી રૂપાળી,સુઘડ અને શિક્ષિત જ્ઞાતિની આવી દશા હોય તો બીજી ઉતરતી, નિમ્ન જ્ઞાતિઓની તો વાત જ શી કરવી..!!!!
યાદ રહે સ્વામી વિવેકાનંદ જેવી ઘણી વિભૂતિઓ કાયસ્થ જ્ઞાતિએ આપી છે.

મિત્રો,
૨૧મી સદીમાં વિશ્વના દેશો કયાંના કયાં પહોંચી ગયા અને આપણને માનવતાવાદીઓએ વર્ણવાદ અને ધર્મવાદથી ચેતવ્યા છતાં પણ આપણે હજી ધર્મવાદ, જાતિવાદના રાજકારણમાં દેશની ઉન્નતિના બાધક તેમજ આપણુ ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ.
સૌ સાથે મળી ધર્મ, જાત-પાંત વગરનું ભારતીયો વાળુ રાષ્ટ્ર બનાવીશું ત્યારે ખરા અર્થમાં સ્વામીજીની જન્મ જયંતિ ઉજવી કહેવાશે.

Comments

Post a Comment

Read more

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...