Skip to main content

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર સમસ્ત ભારતીયો માટે સ્વામીજીનો એક વિચાર




वर्तमान जाति भेद भारतवर्ष की उन्नत्ति में बाधक हैं। वह संकीर्ण बनता है, बाधा पहुँचाता हैं और अलग करता है।
(जाति, संस्कृति और समाजवाद  पृ.५६, स्वामी विवेकानंद)

समाज सुधारकों के मुखपत्र में मैंने पढ़ा कि वे मुझे शूद्र कहते हैं और मुझे ललकारकर पूछते हैं कि शुद्र को संन्यासी होने का क्या अधिकार हैं..???

શું સ્વામી વિવેકાનંદ શુદ્ર હતા....!!!

ચાલો થોડા ઇતિહાસનાં પાનાં ફેંદીએ.
૧૯૧૬માં કલકત્તા હાઇકોર્ટમાં કેસ (20 C.W.N .910) ચાલ્યો. વાદી-પ્રતિવાદી અસિત મોહન ઘોષ, નિરોદ મોહન ઘોષ મલિક હતા. પ્રશ્ન હતો કે બંગાળના કાયસ્થો ક્ષત્રિય છે કે  શુદ્ર..?
હાઇકોર્ટે નિર્ણય આપ્યો કે તેઓ શુદ્ર છે.
આ કેસની અપીલ પ્રિવી કાઉન્સિલ માં થઈ. ( 1926 47.A.I.40)  કોઈ સ્પષ્ટ નિર્ણય ન આપ્યો. પણ કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે કાયસ્થોના લગ્ન તાંતી ઉતરતી જ્ઞાતિમાં થઈ શકે છે. તે બધા શુદ્રો છે એટલે કાયસ્થોને પણ તેમાં સમાવવા જોઈએ.
આ નિર્ણયથી કાયસ્થોને ભારે હાનિ થઈ. તેમનુ ધાર્મિક તેમજ સામાજિક સ્થાન ધણું નીચું ઉતરી ગયું. એ સમયની કાયસ્થો જેવી રૂપાળી,સુઘડ અને શિક્ષિત જ્ઞાતિની આવી દશા હોય તો બીજી ઉતરતી, નિમ્ન જ્ઞાતિઓની તો વાત જ શી કરવી..!!!!
યાદ રહે સ્વામી વિવેકાનંદ જેવી ઘણી વિભૂતિઓ કાયસ્થ જ્ઞાતિએ આપી છે.

મિત્રો,
૨૧મી સદીમાં વિશ્વના દેશો કયાંના કયાં પહોંચી ગયા અને આપણને માનવતાવાદીઓએ વર્ણવાદ અને ધર્મવાદથી ચેતવ્યા છતાં પણ આપણે હજી ધર્મવાદ, જાતિવાદના રાજકારણમાં દેશની ઉન્નતિના બાધક તેમજ આપણુ ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ.
સૌ સાથે મળી ધર્મ, જાત-પાંત વગરનું ભારતીયો વાળુ રાષ્ટ્ર બનાવીશું ત્યારે ખરા અર્થમાં સ્વામીજીની જન્મ જયંતિ ઉજવી કહેવાશે.

Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...