Skip to main content

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.



ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!!

સામાજિક અનામત કઈ રીતે મળી હતી..??
તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત.

અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત.
બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આધારે અનામત આપી શકાય જ નહીં. બંધારણના અનુચ્છેદ ૧૬(૪) અનુસાર અનામત કોઈ વ્યક્તિ વિશેષને નહીં, પરંતુ સમુદાયને આપવામાં આવે છે. બંધારણની અનુચ્છેદ ૧૫ અને ૧૬ માં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતની જોગવાઇ છે. તેમાં આર્થિક અનામતની કોઈ જોગવાઇ જ નથી. બંધારણમાં અનામત આપવા પાછળનો તર્ક એ છે કે સમાજમાં ઉપેક્ષા પામેલા કે પછાત વર્ગોને સમાજની મુખ્ય ધારામાં લાવવામાં આવે. જે સવર્ણ અનામતને લાગુ પડતું નથી. અગાઉ આપેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે પણ આર્થિક પછાતના મુદ્દે અનામત આપી શકાય નહીં.
બંધારણની મૂળ ભાવનાથી વિપરીત જઈ સરકાર આર્થિક આધાર પર અનામત કેવી રીતે આપશે..?
એક વિશ્લેષણ જોઈએ કે આઠ લાખની આવક મર્યાદા રાખી હોવાથી જ્યારે પણ અમલમાં આવશે ત્યારે તે શું થશે..? ભારતની સરેરાશ માથાદીઠ આવક રૂ.૧,૩૦,૦૦૦ છે એટલે કે ભારતનો નાગરિક મહિને સરેરાશ ૧૦ હજાર પણ કમાતો નથી. જ્યારે અનામત મર્યાદા રૂ. ૮,૦૦,૦૦૦ છે. અનામતની નજરથી જોઇએ તો ભારત સરકાર આઠ લાખથી ઓછી આવક વાળાને આર્થિક પછાત ગણે છે તો પછી ૨,૫૦,૦૦૦ થી વધુ આવક વાળી વ્યક્તિ પાસેથી સરકાર ઈન્કમ ટેક્ષ શા માટે વસૂલે છે...?? જ્યારે આ વર્ગ અનામતનો લાભ લેવા જશે ત્યારે ટેક્સના દાયરામાં આવવાથી તે મધ્યમવર્ગીય પરિવાર બની જાય છે. આવા બેવડી નીતિ કેમ...?

પી.ચિદમ્બરમજીએ કહ્યું છે કે, ''લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકોનું બિલ ૨૦૦૮ થી હજી સુધી લટકી રહ્યું છે ત્યારે આર્થિક રીતે નબળા લોકોને અનામત આપવાનું બીલ ચાર વર્ષ અને સાત મહિના સુધી અગ્રતામાં નહોતું (ત્યારે ટ્રીપલ તલાકને અગ્રતા હતી) તો શા માટે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ બધું બની ગયું…???
ગુજરાત સમાચાર ૧૨મી જાન્યુ. ૨૦૧૯ના નેટવર્કમાં નોંધે છે કે ,"ભાજપ સરકારે સવર્ણ અનામતની ઉતાવળ એટલા માટે કરી કે તેને મે મહિનામાં રાજકીય લાભ જોઈએ છે તેની પાસે ઝાઝો સમય નથી. વળી, ભાજપવાળા અન્ય રાજ્યમાં ચાલતા નથી. તો કરવું શું..??"
ઘણા રાજ્યોમાં ચૂંટણીલક્ષી આપેલ અનામતને કોર્ટે રદ કરી છે.  કેન્દ્રમાં પણ મંડલ કમીશન રીપોર્ટ લાગુ થયા બાદ નરસિમ્હારાવની દસ ટકા અનામતની જાહેરાત પછી ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય રદ બાતલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ જો બંધારણ પ્રમાણે ચાલશે તો (હાલની તાનાશાહી સરકાર સુપ્રીમ કોર્ટનું સાંભળતી જ નથી. ઉદા.આલોક વર્માની હાકલપટ્ટી) તેની સમીક્ષા પછી સવર્ણ અનામતનું મૃત્યુ નિશ્ચિત જ છે કેમ કે તેની પાસે ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા છે. જો સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો બંધારણ મુજબ ન હોય તો સર્વોચ અદાલત તે કાયદાને રદ કરી શકે છે. સાયબર સિક્યુરિટી એક્ટની કલમ ૧૬૬ જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હકને લક્ષમાં રાખીને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી.
ગુજરાત સરકારના હરખપદુડા કઠપૂતળી મુખ્યમંત્રીએ તો ગુજરાતના સવર્ણોને ઉત્તરાયણના તહેવારની અનામતની ભેટ આપીને વર્ગ-૧ અને ૨ સહિતની તમામ ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દઈ દેશનું પ્રથમ રાજ્ય બનાવી દીધુ...!!!
ભરતીઓ રોકવાનું ષડયંત્ર એટલે સવર્ણ અનામત
બિહારના સવર્ણ પ્રો. મનોજ કુમાર ઝાના નિવેદનનો મારે અહીં ઉલ્લેખ કરવો જરુરી છે. તેમણે કહ્યું કે, "संविधान के साथ छेड़छाड़ कर रहे हैं । आज चंद घंटों में संविधान का कत्ल कर दिया । मैं तो सीधे तौर से कहता हूं हम आरक्षण खत्म कर देंगे..!! पहले जाति खत्म कर दो । हमने बाबासाहेब के संविधान सभा की बैठकों से प्रेरणा ली है । ये आरक्षण आमदनी बढ़ाओ योजना नहीं है..!! अरे संविधान सभा की बैठकों को पढ़िए। बाबा साहब कहते हैं," आरक्षण की व्यवस्था का विरोध वही लोग करते हैं, जिनको आरक्षण की पूरी समझ नहीं है। आरक्षण प्रतिनिधित्व का मामला है।" झा आगे कहते हैं कि आप कैबिनेट से शुरू कीजिए और संसद के आखरी पायदन तक आए आपको पता चल जाएगा कि जाति व्यवस्था का असर कितना है..?? आज यह रास्ता साफ दिख रहा है कि इससे जातिगत आरक्षण खत्म कर दिया जा रहा है।"
ટૂંકમાં,
બંધારણ વિરૂદ્ધનું પગલું એટલે સવર્ણ અનામત.
ટૂંકી દ્રષ્ટિથી સોનાના બિસ્કીટના નામે ફેંકેલું ખાલી ખોખુ એટલે સવર્ણ અનામત.
સમાનતા સ્થાપિત કરવાના પ્રયત્નથી અસમાનતા ઊભી થવાનો ખતરો એટલે સવર્ણ અનામત.

Comments

Read more

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...