Skip to main content

Posts

Showing posts from September, 2020

ગુજરાતનો સદીઓ પહેલાંનો શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો : રાણીની વાવ (રાણકી વાવ)

  રાણીની વાવ, પાટણ                      સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.               વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શ...

ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચનાર પ્રથમ પ્રવાસી અને ઉત્તર ધ્રુવ વિજેતા : રોબર્ટ એડવીન પિયરી (૧૮૫૬-૧૯૨૦)

                 રોબર્ટ એડવીન પિયરી                ૬ઠ્ઠી એપ્રિલે ૧૯૦૯ની ઢળતી બપોરે પૃથ્વીના સૌથી ઉત્તરના છેડે આવેલા એક સ્થળે છ જણ ઊભા હતા. આ છ જણની નાની અમથી ટુકડીનો નેતા હતો અમેરિકાના નૌકાદળનો રોબર્ટ પિયરી નામનો એક નૌકાપતિ. સાથે બીજા પાંચ જણ હતા એનો એક નોકર અને ચાર એસ્કીમો, વર્ષોની પૂર્વ તૈયારી પછી આરંભાયેલો ઉત્તર ધ્રુવ પ્રદેશનો એમનો પ્રવાસ આખરે સફળ નીવડ્યો હતો. ૧૯૦૮માં જુલાઈમાં સેનાપતિ પીયરીએ રૂઝવેલ્ટ નામનું એક જહાજ આ સફર ખેડવા હંકાર્યું, સફળ થવાના દ્રઢ નિર્ધાર સાથે.                  આ સફર માટે જોઇતા નાણાં એકઠા કરવા એણે ૯૬ દિવસમાં ૧૬૮ પ્રવચનો આપ્યાં. આ પછી એ પોતાની પત્ની સાથે ધ્રુવ પ્રદેશની સફરે ઉપડ્યો એ ગ્રીનલેન્ડ પહોંચ્યો અને ત્યાંના સાગર કિનારાના એક ભાગ પર નાની મઢુલી બાંધી. આ મઢુલીમાં એની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. ધ્રુવ પ્રદેશની આ સફર ખરાબ હવામાન, તરતી હિમ શિલાઓમાં ફસાઈ જવાય એવી તંગી અને થકાવટ વગેરે અનેક જાતની દવાઓ અને વિપત્તિઓની ભરપુર આ સફર હતી. ...

ભૌતિક સગવડો પાછળ આંધળી દોટ સમગ્ર દુનિયા માટે ખતરો માનવજાત સાથે દુનિયાનું નિકંદન : ઓઝોનમાં ગાબડું

               ૧૬ સપ્ટેમ્બર, વિશ્વ ઓઝોન દિવસ               આજે આપણે એવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ જે પર્યાવરણ વિરુદ્ધ છે. પર્યાવરણના દુરુપયોગના કારણે કચરો ઉત્પન્ન કરવો, વૃક્ષોનો નાશ, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ, કારખાનાંનો ધુમાડો, જંગલોમાં આગ, એ.સી કે ફ્રીઝ માટે ક્લોરોફ્લોરો કાર્બન વગેરે પર્યાવરણને નુકસાનકારક પદાર્થોનો માનવી ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે.                  પૃથ્વી પરનું તાપમાનમાં આજે ચિંતાજનક રીતે વધારો થતો જાય છે અને તેના કારણે સમુદ્રની જળ સપાટી પણ સતત ઊંચી આવતી જાય છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર નિષેધક અસર પડે છે. આ અસરમાં વાવાઝોડું વધુ પ્રમાણ અને હવામાનમાં થતા ફેરફારો તે મુખ્ય ગણાવી શકાય. બધા જ જાણીએ છીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં હિમશીલાઓ ઓગળવાને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી છે. આ અસરો જગતના જુદાજુદા દેશોમાં પણ જોવા મળી છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે દર પાંચ વર્ષે એક ઇંચ સમુદ્રના પાણીનું સ્તર ઊંચું આવે છે અને હવામાનમાં સતત પર...