Skip to main content

Posts

Showing posts from June, 2022

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

            વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ ...

પાખંડી ભૂવાઓથી ચેતો, વિજ્ઞાનયુગમાં શિક્ષણ જ સર્વસ્વ

                         સમજ્યા વગરનો સ્વીકાર એટલે અંધશ્રદ્ધા. આટલા બધા લોકો કહે છે એટલે સાચું જ હશે; એમ માની મગજને જરા પણ તસ્દી આપ્યા વિના કોઇપણ વાત સ્વીકારી લેવાની વૃત્તિ એ અંધશ્રદ્ધા જ છે. આ માટે સમાજનું પછાતપણું, શિક્ષણનો અભાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ, દાક્તરી સારવારનો અભાવ વગેરે જેવાં અનેક કારણો જવાબદાર છે. અંધશ્રદ્ધા ફેલાવનારા અનેક પ્રકારનાં પ્રલોભનો અને હૈયાધારણ આપે છે. તદ્દન ખોટી હકિકતો અને બનાવોને જાતે જોયેલી અને અનુભવેલી વાતો તરીકે રજૂ કરી લોકોને જાળમાં ફસાવે છે. મોટાભાગે વીંછી-સાપનું ઝેર ઉતારનારા, ભૂતપ્રેત ભગાડનારા ભુવા અને હાથ અથવા કુંડળી જોઈ ભવિષ્ય કથન કરનારા કર્મકાંડીઓ પોતાનું ગુજરાન ચલાવવા અનેક રીતે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના પુરેપુરા પ્રયત્નો કરે છે. ભગતસિંહે એક ભાષણમાં કહેલું કે, "ધાર્મિક અંધશ્રદ્ધા અને ધર્માંધતા આપણી પ્રગતિના માર્ગમાં સૌથી વધુ અડચણરૂપ છે. તે આપણા રસ્તામાં આડખીલી રૂપ સાબિત થાય છે અને આપણે તેમને ફગાવી દેવા જોઈએ. જે વૈચારિક સ્વાતંત્ર્ય સહી ન શકે તેનો અંત લાવવો જોઈએ. દરેક સમાજમાં ક્રાંતિકારી...