Skip to main content

Posts

Showing posts from October, 2022

સરદાર વલ્લભભાઈ પટેલ એક સમાજસુધારક તરીકે

                 અમદાવાદના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે કાન્ડી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે એક વખત કાન્ડીની ઓફીસમાં એક વૃદ્ધ માણસ આવ્યો.  કાન્ડી  અને બન્ને વચ્ચે કામને લઈને થઈ રહેલી વાતચીતમાં ઉંમરની વાત નીકળતાં  કાન્ડી બોલ્યા કે હવે હું  ઘરડો થઈ ગયો છું અને સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. ત્યારે એ વૃદ્ધ માણસે પુછ્યું કે તમને કેટલાં વર્ષ થયાં ?  કાન્ડી  બોલ્યા : ૫૬ વર્ષ અને તમને કેટલાં ? વૃદ્ધ બોલ્યો સડસઠ થયાં છે અને  હજી ૩૩ વરસની તૈયારી..!! વૃદ્ધાવસ્થામાં પણ આવા જોમ અને જુસ્સા વાળો વૃદ્ધ યુવાન એટલે આપણા સૌના વલ્લભભાઈ પટેલ. તેમનો જન્મ  ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક ખેડૂત  પરિવારમાં થયેલો .  પિતા  ઝવેરભાઈ  ૧૦ એકર જમીન ધરાવતા  શ્રીમંત ખેડૂત, સ્વતંત્ર સ્વભાવના મજબૂત માણસ હતા. જેમની પાસે ગામના લોકો મુશ્કેલીના સમયે સલાહ અને મદદ માટે આવતા હતા. પિતાએ ઝાંસીની રાણી સાથે ૧૮૫૭ના મહા બળવામાં ભાગ લીધો હતો અને બાદમાં ઈન્દોરના હોલ્કર દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા...

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા.          બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હ...