Skip to main content

Posts

Showing posts from September, 2022

ઓઝોનની સુરક્ષિતા માટે પર્યાવરણનું જતન કરી પૃથ્વીને બચાવીએ

           સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. જો ઓઝોન પડ ન હોય તો સૂર્યમાંથી નીકળતી ઉર્જા પૃથ્વી પરના જીવન વિકાસ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે. આ પડ પૃથ્વીને સૂર્યના મોટાભાગના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવે છે. સિત્તેરના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે માનવજાત આ રક્ષણાત્મક કવચમાં છિદ્ર બનાવવાનું કામ કરી રહી છે, ત્યારે તેમણે ચેતવતાં કહ્યું હતું કે,"એરોસોલ્સ અને ઠંડક, જેમ કે ફ્રિજ અને એસીમાં વપરાતા ઓઝોન-ક્ષીણ વાયુઓના કારણે થયેલાં છિદ્રના સીધા પ્રકાશથી ત્વચાના કેન્સર અને મોતિયાના કેસોમાં વધારો તેમજ છોડ, પાક અને ઈકો સિસ્ટમને નુકસાન પહોંચાડશે." આ ચેતવણીની ગંભીરતા સમજી કાર્બન ડાયોક્સાઇડ વાયુને કાબુમાં લેવો જરુરી છે. કેમ કે પૃથ્વીનું વાતાવરણ બગાડવામાં સૌથી મોટો ફાળો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. આપણે ઉચ્છવાસમાં કાઢીએ છીએ, ઉદ્યોગો ફેલાવે, કોલસાથી ચાલતા પ્લાન્ટ ફેલાવે, વાહનો ફેલાવે એમ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પાદન કેન્દ્રોનો કોઇ પાર નથી. કાર્બન ડાયોકસાઇડ ઓછો ફેલાવે એવા વિકલ્પો શોધવાના દુનિયાભરમાં કામ થઈ રહ્યું છે પણ તેનું ઉત્પાદન ઘટવાની શક્યતા નહિવ...

ભારતીય સૈન્યના એક સિપાઈની અમર શૌર્યકથા

             ૩જી મે ૧૯૯૯ના રોજ એક ભરવાડ પોતાના પાલતું પ્રાણી યાકની શોધ માટે ફરતો હતો ત્યાં તેને કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા એટલે ભારતીય લશ્કરને જાણ કરી. ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ તપાસ કરતાં માહિતી સાચી ઠરી કે કેટલાક પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી વેશ ધારણ કરીને એલઓસી (બે દેશો વચ્ચેની ડે ફેક્ટો બોર્ડર છે) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, જે આખરે યુદ્ધમાં પરિણમી. ઇતિહાસમાં એ યુદ્ધ કારગિલ યુદ્ધના નામે ઓળખાયું. સ્વતંત્રતા પહેલાં કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વનાં ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો,જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. કારગિલ શહેર શ્રીનગરથી સવા સો માઈલથી પણ વધારે દૂર છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ ...

શિક્ષક કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે -ડૉ.અબ્દુલ કલામ

            દરેક વ્યક્તિ માટે, તેના અસ્તિત્વના કોઈપણ તબક્કે, એક વ્યક્તિની જરૂર છે જે આ અથવા તે સમસ્યા, પરિસ્થિતિ અથવા ફક્ત એક ઘટનાને સમજાવી શકે. એ વ્યક્તિ છે શિક્ષક. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં સૌથી મોટો ફાળો હોય તો એ શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભને મજબુત કરવા શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષકનો વ્યવસાય એ પૃથ્વી પરના સૌથી પ્રાચીન વ્યવસાયોમાંનો એક છે. એમની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળકોનો બૌદ્ધિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સામાજિક, ચારિત્ર્ય અને ભાવનાત્મક વિકાસ કરવાની પણ આજના શિક્ષકની ફરજ છે. આદર્શ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.             શિક્ષણ એ અવિરત પ્રક્રિયા છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો પણ શિક્ષકો દ્વારા શરૂઆતથી જ શીખવવામાં આવે છે. શિક્ષણ જ્ઞાન, નમ્રતા, કુનેહ અને ક્ષમતા આપે છે. શિક્ષકને ભગવાન સમાન ગણવામાં આવે છે. આજે પણ ઘણા શિક્ષકો શિક્ષણના આદર્શોને અનુસરીને એક આદર્શ માનવ સમાજની સ્થા...