Skip to main content

કિસી કો યે કૈસે બતાયે કિ ગુલિસ્તાઁ મેં કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે..!!

         શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ "પઠાણ" આવતા વર્ષે જાન્યુઆરીમાં મોટા પડદા પર આવવા માટે તૈયાર છે અને ચાહકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થાય એની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ૧૨મી ડિસેમ્બરના રોજ તેનું પહેલું ગીત "બેશરમ રંગ...." રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મના ગીત બેશરમ રંગ વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટ્વિટર, ફેસબુક, વૉટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મિડિયાએ તો ઉપાડો લીધો છે. જ્યાં જુઓ ત્યાં બસ પઠાણ...... પઠાણ...... જ છવાયેલું છે. ગીતને હેશટેગ કરીને દિપિકા અને શાહરૂખને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. કોઈ વિરોધ કરે છે તો કોઈ સમર્થન, કોઈને પઠાણ નામથી વાંધો છે તો કોઈને ખાનથી, કોઈને કપડાંથી વાંધો છે તો કોઈને કપડાંના રંગથી..!! કેટલાંક તત્વો કોઈના કોઈ રીતે આવા વ્યર્થ મુદ્દાઓ શોધતા જ હોય છે, જેમાં હિંદુ-મુસ્લિમ આવે...!! અને જો ન આવે તો ગમે તેમ શોધી જ લે અને પોતાનો ધંધો ચલાવતા રહે છે. એક ફિલ્મના ગીતને ધર્મના રંગમાં રંગવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ગોદી મિડિયા પણ એને પ્રોત્સાહન આપી રહ્યું છે જાણે દેશમાં કોઈ લોકહિતના મુદ્દા જ ન હોય...!!! આવા સળગતા મુદ્દા વચ્ચે રાજકીય વિશ્લેષક અને ઈતિહાસ જ્ઞાતા તેમજ વરિષ્ઠ પત્રકાર ડૉ.હરિ દેસાઈએ બહુ સ્પષ્ટપણે પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, "જ્યારે સરહદો સળગી રહી હોય, ચીન આપણી સરહદે ઉહાપોહ મચાવતું હોય ત્યારે મને લાગે છે એના તરફથી લોકોનું, જનતાનું ધ્યાન વિકેન્દ્રિત કરવા માટે રમત રમી એક ફિલ્મનો વિવાદ જગાડવામાં આવે છે."

           અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુદાસે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણ સામે વાંધો ઉઠાવતા લોકોને તેનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. એક વીડિયો સંદેશમાં મહંતને એમ કહેતાં સાંભળી શકાય છે કે, "હું લોકોને અપીલ કરું છું કે તે થિયેટરોને આગ લગાડો જ્યાં, પઠાણનું સ્ક્રીનિંગ કરવામાં આવે." મધ્યપ્રદેશના ઇન્દોરમાં પઠાણ ફિલ્મના વિરોધમાં એક સંગઠન દ્વારા શાહરૂખ ખાનનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી હતી. અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ હિન્દીમાં ટ્વિટ કરીને લખ્યું કે, "શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં ભગવા અને હિન્દુ સંસ્કૃતિનું અપમાન થયું છે. ફિલ્મ સેન્સરબોર્ડ કેમ સૂઈ રહ્યું છે ? અમે પ્રતિબંધ લાદીશું. હિન્દુ મહાસભા તેનો વિરોધ કરશે." મુસ્લિમ બાદશાહના પ્રસંગ હિંદુ રાજા સાથે જોડી વાક્પટુતાથી ઈતિહાસને તોડી મરોડી રજૂ કરી લોકોને ઉશ્કેરતા ડાયરાના એક કલાકાર પણ આ વિરોધમાં જોડાયા. અરે હિંદુ સંસ્કૃતિનું અપમાન થતું હોય તો ખજૂરાહોના મંદિરનો વિરોધ ક્યારે કરશો ? જ્યાં અશ્લીલતા અને નગ્નતા જ ભરી છે.

ખજૂરાહોમાં પ્રદર્શિત સંસ્કૃતિની કેટલીક તસ્વીરો 

સંસ્કૃતિનાં બણગાં ફૂંકવાવાળાઓને આદિ-અનાદિકાળથી જ નગ્નતા સ્વીકાર્ય છે તો આ નાટકીય વિરોધ કેમ ? સચ્ચાઈ તો એ છે કે નંગોને નગ્નતાથી કોઈ તકલીફ નથી; તકલીફ ખાન શબ્દથી હોઈ શકે..!!
નિર્ભીક પત્રકાર અભિસાર શર્માએ પોતાની ચેનલના માધ્યમથી નફરત ફેલાવતા ચીન્ટુઓને તસ્વીર બતાવતાં કહ્યું કે, અમિત શાહે એક સ્થળે ભાષણ કરતી વખતે હિંદુ ધર્મનું પૂજનીય પ્રતિક સાથિયા ઉપર પગરખાં પહેરીને ભાષણ આપ્યું હતું..!!! શું કોઈ હિંદુની લાગણી દુભાઈ..? કોઈ હિંદુત્વવાદી સંગઠને અમિત શાહ પાસે માફી મંગાવી ?" મનોજ તિવારી, રવિ કિશન, અક્ષયકુમાર, કંગના રાણાવત ભગવાં વસ્ત્ર પહેરીને લજવાય એવું નાચગાન કર્યું છે. 

ભગવા રંગને ગૌરવ અપાવતા અક્ષયકુમાર અને ભાજપના સાંસદ મનોજ તિવારી


આ બધાની સામે કોઈ હિંદુત્વવાદી સંગઠનોને વાંધો નથી કેમ કે એ સત્તાધીશોના ચાટુકાર છે. 
મતલબ સાફ છે કે આ કટ્ટર 
હિંદુત્વવાદ છે. 

         વિશ્વના ટૉપ-૫૦ ખ્યાતનામ અભિનેતાઓમાં ભારતના એકમાત્ર અભિનેતા કિંગખાન એટલે કે શાહરુખે સ્થાન મેળવ્યું છે તો દિપિકાએ ફિફા વર્લ્ડ કપ-૨૦૨૨ની ફાઇનલમાં ભૂતપૂર્વ સ્પેનિશ ખેલાડી ઇકર કેસિલાસ સાથે ટ્રોફીનું અનાવરણ કરનાર પ્રથમ ભારતીય બનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કર્યું અને આખી દુનિયા ગર્વ સાથે ભારતના બે સિતારા શાહરૂખ-દિપિકાને જોઈ રહી હતી ત્યારે પોતાના જ દેશમાં તે તુચ્છ રંગના લીધે નફરતી રાજકારણનો ભોગ બની રહ્યા હતા. ફિલ્મને ફક્ત મનોરંજનની નજરથી જોવું જોઈએ. ફિલ્મ કોને જોવું અને કોને ન જોવું એ માટે સૌ કોઈ સ્વતંત્ર છે. અને કોઈના કહેવાથી ફિલ્મનો વિરોધ કરવો એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે..?? એ પણ એક રંગના કારણે..!!! પુરું વિશ્વ સાક્ષી રહ્યું છે કે "એક કોમ, એક રંગ" ની પ્રધાનતાથી આખું જર્મની તબાહ થઈ ગયું હતું. દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં જાવેદ અખ્તરની કાવ્ય પંક્તિયાં યાદ આવે છે, તેમણે કાવ્ય પંક્તિઓ દ્વારા ભારતવાસીને ઘણો મહત્વનો સંદેશ આપ્યો છે કે,

કિસી કો યે કૈસે બતાયે કી ગુલિસ્તાઁ મેં 

કહીં ભી ફૂલ એક રંગીય નહિ હોતે 

કભી હો હી નહિ સકતે

હરએક રંગ મેં છુપકર બહુત સે રંગ રહેતે હૈ 

જો બાગ એકરંગીય બનાના ચાહે થે

ઉનકો જરા દેખો 

કિ જબ એક રંગ મેં, સો રંગ જાહિર હો ગયે 

કિતને પરેશાન હૈં, કિતને તંગ રહતે હૈં 



Comments

Post a Comment

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...