Skip to main content

ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચનાર પ્રથમ પ્રવાસી અને ઉત્તર ધ્રુવ વિજેતા : રોબર્ટ એડવીન પિયરી (૧૮૫૬-૧૯૨૦)


                

રોબર્ટ એડવીન પિયરી 


              ૬ઠ્ઠી એપ્રિલે ૧૯૦૯ની ઢળતી બપોરે પૃથ્વીના સૌથી ઉત્તરના છેડે આવેલા એક સ્થળે છ જણ ઊભા હતા. આ છ જણની નાની અમથી ટુકડીનો નેતા હતો અમેરિકાના નૌકાદળનો રોબર્ટ પિયરી નામનો એક નૌકાપતિ. સાથે બીજા પાંચ જણ હતા એનો એક નોકર અને ચાર એસ્કીમો, વર્ષોની પૂર્વ તૈયારી પછી આરંભાયેલો ઉત્તર ધ્રુવ પ્રદેશનો એમનો પ્રવાસ આખરે સફળ નીવડ્યો હતો. ૧૯૦૮માં જુલાઈમાં સેનાપતિ પીયરીએ રૂઝવેલ્ટ નામનું એક જહાજ આ સફર ખેડવા હંકાર્યું, સફળ થવાના દ્રઢ નિર્ધાર સાથે.

                 આ સફર માટે જોઇતા નાણાં એકઠા કરવા એણે ૯૬ દિવસમાં ૧૬૮ પ્રવચનો આપ્યાં. આ પછી એ પોતાની પત્ની સાથે ધ્રુવ પ્રદેશની સફરે ઉપડ્યો એ ગ્રીનલેન્ડ પહોંચ્યો અને ત્યાંના સાગર કિનારાના એક ભાગ પર નાની મઢુલી બાંધી. આ મઢુલીમાં એની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. ધ્રુવ પ્રદેશની આ સફર ખરાબ હવામાન, તરતી હિમ શિલાઓમાં ફસાઈ જવાય એવી તંગી અને થકાવટ વગેરે અનેક જાતની દવાઓ અને વિપત્તિઓની ભરપુર આ સફર હતી. આ બધાને કારણે એણે પોતાની સફર અધૂરી મૂકીને પાછા ફરવું પડ્યું પણ ત્યાર પહેલાં તો ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઊંડા ભાગ સુધી પહોંચનાર પ્રવાસી તે બની ચૂક્યો હતો.

                 બાવન વર્ષની વયે ૧૯૦૮માં એણે ફરી એકવાર પ્રવાસ ખેડ્યો ૨૮મી ફેબ્રુઆરી ૧૯૦૯નો દિવસ ધ્રુવ પ્રદેશ પર પહોંચવા માટેના આખરી પ્રયાસ કરવા માટે મુકરર કરાયો. આ સફરમાં એની સાથે ૨૪ સાથીઓ, ૧૯ હિમગાડીઓ અને ૧૩૩ હિમગાડી ખેંચનારા કૂતરા હતા. આ કાફલા સાથે પીયરીએ અફાટ હિમાચ્છાદિત પ્રદેશની કૂચ કદમ આદરી.

                    આખરે ઉત્તર ધ્રુવ પર પહોંચીને પીયરીએ છઠ્ઠી એપ્રિલે પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે, 'ત્રણ-ત્રણ સદીના પ્રયાસોનું જાણે પારિતોષિક વીસ-વીસ વર્ષથી મેં સેવેલું સપનું આખરે સાકાર બન્યું..! પણ આ સત્ય જાણે હું માની શકતો નથી અહીં સર્વત્ર જાણે સાધારણ સાદું સીધું લાગે છે.'

                   એની પત્નીએ એને એક રેશમી ધ્વજ આપ્યો હતો અને એ હંમેશાં પોતાના હાથ પર લપેટી રાખતો. આ ઐતિહાસિક પ્રસંગ માટે એણે એ ધ્વજ સાચવી રાખ્યો હતો અને એ ઉત્તર ધ્રુવ પરની હવામાં ફરફરી રહ્યો હતો તેમજ પીયરી એને ગૌરવભેર નીરખી રહ્યો હતો.

              ૧૯૧૧માં ઉત્તર ધ્રુવ વિજેતા તરીકે રોબર્ટ પિયરીનું બહુમાન કરવામાં આવ્યું. નૌકાદળના રિઅર એડમિરલના પદેથી નિવૃત્ત થયા ત્યારે એમને સારું એવું નિવૃત્તિ વેતન બાંધી અપાયું એ તો ખરું જ પણ આખી દુનિયામાંથી એમને ઉત્તર ધ્રુવ પ્રદેશની સિદ્ધિ માટે અનેક બહુમાનો મળ્યા કર્યાં.



સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻




Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...