સંભાજીને ઈ.સ.૧૬૮૯માં એક એક અંગ કાપીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો એવું સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તકમાં લખ્યું છે. જ્યારે સંભાજીની હત્યા કરી શરીરના ટૂકડા ફેંકતાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ ટૂકડાઓને હાથ લગાવશે તેની પણ આવી હાલત થશે..!! એટલે ઘણો સમય સુધી કોઈ લાશ લેવા આગળ આવ્યું નહિ, ત્યારે એક યુવાને હિંમત કરી. એણે મહારાજ સંભાજીના શરીરના રઝળતા ટૂકડાઓ વીણી ભેગા કર્યા અને સિલાઈ કરીને મુખાગ્નિ આપ્યો હતો. આ યુવાન મહાર જ્ઞાતિનો હતો. ( સંભાજીની સમાધિ આજે પણ એ જ મહારવાડી વિસ્તારમાં આવેલી છે) જાહેરાત પ્રમાણે યુવાનની પણ સંભાજીના જેવી જ હાલત થઈ અને એની આખી સમાજ ઉપર પેશ્વાઓએ (ચિતપાવન બ્રાહ્મણો) કેટલાક અમાનવીય નિયમો થોપી દીધા. પેશ્વાઓ મૂળ રીતે છત્રપતિ (મરાઠા સામ્રાજ્યના રાજા)ના ગૌણ તરીકે સેવા આપતા હતા. છત્રપતિ સંભાજીની હત્યા પછી મરાઠા સામ્રાજ્યની કમાન તેમના ભાઈ રાજારામ પાસે રહી. રાજારામ ઈ.સ.૧૭૦૦માં મૃત્યુ પામ્યા એટલે તેમની પત્ની તારાબાઈએ તેમના પુત્ર શિવાજી બીજો સાથે મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી. ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુરશાહ પહેલાએ છત્...